Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

નાયબ મામલતદારનું કોરોનાથી મોત નિપજ્યુ

મામલતદાર કેચરીમાં ૧૧ કર્મી પોઝિટિવ

અમદાવાદ, તા. ૧૭ : અમદાવાદ કલેક્ટર કચેરીના મહેકમ વિભાગમાં ફરજ બજાવતા દિનેશભાઈ રાવલ કોરોનાના કારણએ મોત થયું છે. તે બે દિવસથી વેન્ટિલેટર પર હતા અને ગત મોડી રાત્રે તેમનું અવસાન થયું છે. એટલું જ નહીં પરંતુ કલેક્ટર કચેરીના ૧૧ કર્મચારીઓને પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. જેને લીધે કલેક્ટર કચેરીમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તેઓ છેલ્લા ૧૫ દિવસથી કોરોના સામે લડી રહ્યા હતાં. છેલ્લા ૨-૩ દિવસથી તબિયત વધુ બગડી જતી હતી. તેમની અચાનક તબિયત લથડી અને મોત થયું છે. તો બીજી બાજુ અન્ય ૩ મામલતદારોને પણ કોરોના થયો છે. એક એડિશનલ કલેક્ટર પણ સ્ટ્રેસને કારણે રજા પર ઊતરી ગયા છે. રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરના પી.એ.એને પણ કોરોના પોઝિટીવ છે.

(9:42 pm IST)