Gujarati News

Gujarati News

News of Friday, 18th May 2018

આંકલાવના માનપુરામાં મહિલાને ગડદાપાટુનો માર:ત્રણ શખ્શો વિરુદ્ધ ફરિયાદ

જેટપંપ ચાલુ કરવાની ના પાડતા મીનાબેન પર ઉશ્કેરાઈને લાકડાનો ડંડો ફટકાર્યો

આંકલાવ તાલુકાના માનપુરા ગામે જેટપંપ ચાલુ કરવાની બાબતે ત્રણ શખ્સોએ મહિલાને માર મારતા આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.


   જાણવા મળતી વિગત મુજબ મીનાબેન ગણપતભાઈ મકવાણાના ઘર આગળ જેટપંપ મુકવામાં આવ્યો છે.દરમ્યાન જગદીશભાઈ ચીમનભાઈ મકવાણાએ આવીને જેટપંપ ચાલુ કરવાનું કહેતા મીનાબેને ના પાડી હતી જેથી જગદીશ ઉશ્કેરાઈ ગાળો બોલીને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. તેનુું ઉપરાણુ લઈને મંજુલાબેન ચીમનભાઈ મકવાણા તથા ગીતાબેન જગદીશભાઈ મકવાણા પણ આવી ચઢ્યા હતા. જગદીશે નજીકમાંથી લાકડાનો ડંડો લાવીને મીનાબેનને માથામા મારી દીધો હતો જ્યારે બીજા બેએ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(1:18 pm IST)