Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

સુરતના અડાજણમાં રીક્ષા ચાલકની કરપીણ હત્યા

સુરત: અડાજણમાં રહેતા આધેડ રીક્ષાચાલકની તેના ઘર નજીક જાહેરમાં છાતીમાં તિક્ષ્ણ ધા મારીને ત્રણ હત્યારાઓ ભાગી છુટયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પાલનપુર જકાતનાકાની વૃદાવંન સોસાયટીમાં રહેતા રજનીકાંત દતારામ ઉતેકર (ઉ.વ.૫૫) રીક્ષા ચલાવીને પેટિયુ રળતા હતા. તેમને સંતાનમાં બે દિકરીઓ છે. આજે બપોરે તેઓ ઘર નજીક ઉભા હતા,તે વખતે ત્રણ અજાણ્યાઓ આવીને તેમને ઢીકમુક્કીનો માર મારીને છાતીના ભાગે તિક્ષ્ણ ઘા મારીને ભાગી છુટયા હતા. સારવાર માટે નવીસિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ફૂટપાથ પર રહેતો રાજુના રૃપિયા ચોરાઇ જતા રજનીકાંતભાઇ પર શંકા કરીને રાજુ, કનૈયા અને મદનાણીએ ભેગા મળીને હત્યા કરી હતી. જયારે રજનીકાંતના પરિવારજનોના જણાવ્યા મુજબ મરનાર રજનીકાંતબાઇ રાજુને રીક્ષામાં બેસાડીને લઇ ગયા હતા. તે વખતે રાજુના રૃપિયા ચોરાઇ જતા તેની શંકા રાખીને આ હત્યા કરી છે.

(5:27 pm IST)