Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ગુજરાતમાં સીધી ભરતીના ૪૧૧ નાયબ મામલતદારોની જિલ્લાવાર નિમણૂંક

રાજકોટમાં ભગીરથ કાછડિયા, વિજયસિંહ ચૂડાસમા, રઘુવીરસિંહ પઢિયાર, ધર્મેશ વઘાસિયા, જતીન કથીરિયા, રાજેન્દ્ર રાઠોડ, મિલન કાપડિયા, દિવ્યેશ ઠુમર, જયદીપ ધગલ વગેરેની નિમણૂંક

રાજકોટ, તા. ૧૮ :. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા સીધી ભરતીના ૪૧૧ નાયબ મામલતદારોને પસંદગી પદ્ધતિ મુજબ પ્રથમ ૫ વર્ષ માસિક છે. ૩૮૦૯૦ના ફીકસ પગારથી નિમણૂંક આપવામાં આવી છે. વિભાગના નાયબ સચિવ દિલીપ ઠાકરની સહીથી આ અંગેનો હુકમ કરવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લામાં અંકીત શેખડા, ભગીરથ કાછડીયા, વિજયસિંહ ચુડાસમા, રઘુવીરસિંહ પઢીયાર, વિશાલદાન ગઢવી, ધર્મેશકુમાર વઘાસિયા, જતીન કથિરીયા, રાજેન્દ્ર રાઠોડ, મિલન કાપડિયા, દિવ્યેશ ઠુમર, અજયસિંહ જાડેજા, ભાર્ગવ કામાણી, તેજ બાણુગરીયા, જયદીપ ધગલ, વત્સલ સાવજ, વિજયકુમાર રાઠવી, શકિતસિંહ યાદવ, પિયુષકુમાર ચુડાસમા, હરેશ ગોહેલ, રાધિકા બુહા, પાયલ સોરીયા, અજયકુમાર મોરી, શ્વેતા માખેચા વગેરેને નિમણૂંક આપવામાં આવી છે. જે તે જિલ્લા કલેકટર દ્વારા વિગતવાર નિમણૂક કરવામાં આવશે.

(11:57 am IST)