Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સાધુઓ માત્ર વાતો કરવાથી નહિ પણ શુધ્ધ જીવન જીવવાથી પૂજનીય બનેઃ દેવકૃષ્ણદાસજી સ્વામી

સુરત ગુરૂકુળમાં પ્રભુ સ્વામી સહિતના સંતોની હાજરીમાં પૂજન

સુરત વેડ રોડ ગુરૂકુળ ખાતે રાજકોટ ગુરૂકુળના મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને અન્ય સંતોનું શિષ્ય પરિવાર દ્વારા પૂજન-સન્માન કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ,તા.૧૮: વેડરોડ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ સુરતમાં સદગુરૂ વર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી એમના ૧૭૫ ઉપરાંત સંત શિષ્યે સાથે પધારતા દિવ્ય સ્વાગત પૂજન કરવામાં આવેલ. સુરતમાં વસતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના સર્વે હરિ ભકતો , સંતો તથા વિદ્યાર્થીઓએ ગુરુવર્ય મહંત સ્વામીશ્રીનુ હદયના ભકિતભાવ સાથે ઉમળકાભેર દિવ્ય સ્વાગત પૂજન કરેલ હતું.

 સુરત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં અભ્યાસ પૂર્ણ કરી સુરતમાં જ વિવિધ પ્રકારના બિઝનેસ કરી રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ૭૫ જેટલી કારમાં નવસારી સંતોને તેડવા માટે ગયેલા. સુરત ગુરુકુળ પરિસરમાં વિધાર્થીઓએ બેન્ડવાજા તથા ફટાકડા હોડી ધૂન અને કીર્તન ના સથવારે ગુરુવર્ય તેમજ સંતોનું સ્વાગત કરેલ. ગુરુકુળ વિધાલયના પરિસરમાં સ્વાગત મંચ ઉપર બિરાજીત થયેલ સંતો સમક્ષ વિદ્યાર્થીઓએ નૃત્ય રજૂ કરી પોતાની ભકિત અદા કરેલ .

આ પ્રસંગે ૧૭૫ કુટનો મોટો હાર , ફૂલ પાંખડી, લીલા શ્રીફળ, વસ્ત્રો   માળાઓ , સંતોને ભોજન માટે લાકડાના પાત્રો, પાદુકાઓ, સુકામેવા, શાકભાજી, મસાલા , સાકર, તરબૂચ, સંતરા, શેરડી , પાઈનેપલ, વગેરે લઈને ૩૦ ગ્રુપ દ્વારા સમૂહમાં ક્રમશઃ ભગવાન શ્રી સ્વામિનારાયણ , ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા સંતોનુ સ્વાગત કરી ધન્યતા અનુભવેલ .

શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરત દ્વારા ચાલતી વિવિધ શૈક્ષણિક સામાજિક અને ધાર્મિક સેવા પ્રવૃત્ત્િ।ઓના ગ્રૂપો જેવાકે અખંડ ધૂન , વચનામૃત વાંચન, સુશોભન વિભાગ, રસોઈ વિભાગ, હરતી ધુન, પાર્કિંગ , સિકયુરિટી , વાહન વ્યવહાર , લાઈટ સાઉન્ડ, બાલ ગુરુલમ્ , યુવા મંડળો , જન્મદિન ઉજવણી, નગરયાત્રા , હરિ જયંતિ , પૂનમ મહોત્સવ, રવિ સભા , સહજાનંદી સભા, ફુલહાર મંડળ, સુશોભન, સેવારથ વ્યવસ્થા , શિરામણી, ભકતચિંતામણી યજ, હરિસ્મૃતિ, ધર્મનંદન સંકીર્તન મંડળ વગેરેની સેવા સંભાળતા યુવાનોએ સ્વાગત પૂજનમાં ભાગ લીધેલ તેમજ સુરતના ગુરુકુળ મહિલા વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં ૬૭ જેટમાં ચાલતા બાલિકા મંડળ, કિશોરી મંડળ , ૨૪ યુવતી મંડળ , ૬૭ ભકિતમહિલા મંડળ તથા ૫૪ સાંખ્યયોગી બહેનો વતી કાર્યકર્તા ભકતોએ સંતોનું પૂજન કરેલ.

આ પ્રસંગે મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી કહ્યું હતું કે સાધુઓ કેવળ વાતો કરવાથી નહીં પણ શુધ્ધ જીવન જીવવાથી પૂજનીય છે. મુખવાસ ખાતા ખાતા ઉપવાસની વાતો કરવી એ વાત જુદી છે તેનાથી સામાનું જીવન પરિવર્તન ન થાય. રાગના રણકા અને સ્વાદના સબડકા તથા માનનો મોરલીયો સાધુ માર્ગમાં એમની સાધનાને રોકનારો છે. હરિભકતોને તેઓશ્રીએ કહ્યું હતું કે સ્વભાવ અને અભાવ છોડી દ્યર, પરિવાર , સમાજમાં પ્રેમનું વાવેતર કરવાથી સુખને શાંતિ મળે છે .

હૈદરાબાદ ગુરુકુળથી પધારેલા શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, જુનાગઢ ગુરુકુળથી પધારેલા શ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી તેમજ સુરતના શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ કથાવાર્તાનો લાભ આપેલ.

દેશ-વિદેશના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને પ્રથમ દ્વિતીય નંબર મેળવનારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિધાલયના વિધાર્થીઓને શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે શિલ્ડ તેમજ આશીર્વાદ પ્રદાન કરાયેલ હતું.

(11:56 am IST)