Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના કેસોમાં ઉલ્લેખનીય ઘટાડો

૧૬ દિવસના ગાળામાં ઝાડા-ઉલ્ટીના ૧૭૫ કેસ : મલેરિયા, ડેંગ્યુ, ઝાડા-ઉલ્ટી, કમળા સહિત કેસોમાં મોટો ઘટાડો થયો : સિરમ સેમ્પલ અને લોહીના નમૂનાની તપાસ

અમદાવાદ, તા.૧૮ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર દેખાઈ રહી છે. રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્રને સફળતા મળી રહી છે. સ્વાઈન ફ્લુના હાહાકાર વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો પણ સપાટી પર આવ્યા છે. અલબત્ત, તંત્રના પગલાની અસર પણ દેખાઈ રહી છે. પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ૧૬મી ફેબ્રુઆરી સુધીના ગાળામાં માત્ર ૧૬ દિવસમાં જ ઝાડા-ઉલ્ટીના ૧૭૫, કમળાના ૬૩, ટાઈફોઈડના ૧૦૦ કેસો નોંધાયા છે. જ્યારે સાદા મલેરીયાના ૧૬ અને ડેન્ગ્યુના પાંચ કેસ સપાટી પર આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૮ દરમિયાન લોહીના ૧૦૭૬૬૭ નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ફેબ્રુઆરી ૨૦૧૯માં હજુ સુધી ૩૯૫૩૮ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. આવી જ રીતે ફેબ્રુઆરી ૨૦૧૮માં ૨૨૨૭ સિરમ સેમ્પલની સામે આ વર્ષે ફેબ્રઆરીમાં ૩૩૧ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જે પૈકી તેમને તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે. ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં અલગ અલગખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે જેમાંથી અનેક નમૂના પ્રમાણિક જાહેર થયા છે. ક્લોરિન ટેસ્ટ, બેક્ટિરોલોજીકલ તપાસ, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓનું વિતરણ સહિતના પગલાઓ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે.

રોગચાળાનું ચિત્ર.....

અમદાવાદ, તા.૧૮ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત

ફેબ્રુઆરી-૨૦૧૮

ફેબ્રુઆરી-૨૦૧૯

સાદા મેલેરીયાના કેસો

૫૨

૧૬

ઝેરી મેલેરીયાના કેસો

૧૦

૦૧

ડેન્ગ્યુના કેસો

૪૨

૦૫

ચીકુનગુનિયા કેસો

૧૨

૦૦

પાણીજન્ય કેસો

 

 

ઝાડા ઉલ્ટીના કેસો

૪૭૯

૧૭૫

કમળો

૧૫૧

૬૩

ટાઈફોઈડ

૧૯૩

૧૦૦

કોલેરા

૦૦

૦૦

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૧૮ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ................................................. ૭૧૦૦

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના............... ૧૪૩૫

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા...................... ૧૯

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ.............. ૩૨૯૩

ક્લોરીન ગોળીઓનું વિતરણ........................ ૮૬૦૫૬

વહીવટી ચાર્જ.......................................... ૬૦૬૦૦૧

 

(10:16 pm IST)