Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ઇડર: પૂર્વ કોર્પોરેટરના બંધ મકાનમાંથી તસ્કરોએ 1.30 લાખની મતાનો હાથફેરો કર્યો

ઇડર:પાલિકાના પૂર્વ નગરસેવકના સિંધી કોલોની ખાતે આવેલા બંધ મકાનમાં શનિવારની રાત્રે ત્રાટકેલા તસ્કરો સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ રકમ મળી રૃપિયા ૧.૩૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે પોલીસે અજાણ્યા તસ્કરો વિરૃધ્ધ ચોરીની ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.

શહેરના સિંધી કોલોની વિસ્તારમાં રહેતા પાલિકાના પૂર્વ કોર્પોરેટર જગદીશભાઈ ગુરૃમુખદાસ મંગલાણી શનિવારે સંબંધીના મૃત્યુ પ્રસંગે ઘર બંધ કરી પરિવાર સાથે અમદાવાદ ગયા હતા તેવામાં તકનો લાભ ઉઠાવી શનિવાર રાત્રિથી રવિવાર સવારના કોઈપણ સમય દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા.

(6:01 pm IST)