Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

અમદાવાદમાં આતંકવાદી હુમલાને લઈને થયેલ જૂથ અથડામણમાં 38ની ધરપકડ

અમદાવાદ:જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકવાદી હુમલાને પગલે શાહપુરના નાગોરીવાડ વિસ્તારમાં  શનિવારે કેટલાક શખ્સો પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવતા હતા ત્યારે કોઈકે કાંકરીચાળો કરતા પરિસ્થિતી વણસી હતી.

જેમાં બન્ને કોમના શખ્સોએ સામસામે ભારે પથ્થરમારો કરી એક કારને આગ ચાંપી દીધી હતી. પરિસ્થિતી કાબુ બહાર જતા પોલીસે ટિયર ગેસના ૧૨ સેલ છોડતા ટોળામાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં પોલીસે બંને જૂથના ૩૮ જણાની ધરપકડ કરી હતી.

(5:49 pm IST)