Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ગાંધીનગરથી મુખ્યમંત્રી રૂપાણીના દ્વારા અમદાવાદ શહેર- જિલ્લાના નાગરિકો માટે રૂ. ૧૪૯ કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ- ખાતમુહૂર્ત કરાશે

અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના દ્વારા તા. ૧૯ જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેર અને જિલ્લાના નાગરિકો માટે કુલ રૂ. ૧૪૯ કરોડથી વધુના ખર્ચે વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂહુર્ત કરવામાં આવશે. જેમાં રૂ. ૩૭.૬૯ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ તેમજ રૂ. ૧૧૧.૯૧ કરોડથી વધુના ખર્ચે વિકાસ કામોનું ઇ-ખાતમૂહુર્તનો સમાવેશ થાય છે.  
  જેમાં અસારવા અને મણીનગર વોર્ડમાં હાઉસીંગ પ્રોજેક્ટ તેમજ જોધપુર વોર્ડમાં પાર્ક્સ એન્ડ ગાર્ડનના લોકાર્પણના કામો આ ઉપરાંત વેજલપુર વોર્ડ, જમાલપુર, દરિયાપુર, ખાડિયા, થલતેજ, ખોખરા, વસ્ત્રાલ, ચાંદલોડિયા, સરસપુર, રખિયાલ, સરદારનગર અને ચાંદખેડા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર, વોટર પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ અને બિલ્ડિંગ પ્રોજેક્ટના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

(6:28 pm IST)