Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

અમદાવાદ શહેરમાં રાજ્ય કક્ષાનો પરીક્ષા પર્વ યોજાશે

વિદ્યાર્થીઓને તણાવમુક્ત કરાશે

અમદાવાદ,તા.૧૮ : રાજ્યમાં ધોરણ-૧૦ અને ૧૨ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા બાળકો-વિદ્યાર્થીઓ મુક્ત અને તણાવ રહિત વાતાવરણ માં પરીક્ષા આપીને શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે તે હેતુથી આગામી તારીખ ૨૧ જાન્યુઆરી-૨૦૨૦ના રોજ અમદાવાદ એસોસિયેશન ઓફ મેનેજમેન્ટ ખાતે પરીક્ષા પર્વ ૨૦૨૦ની ઉજવણી કરવામાં આવશે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા પરીક્ષા પર્વ-૨૦૨૦ થીમ ઉપર બપોરે ૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીઓ, વિવિધ શિક્ષણવિદો, મનોચિકિત્સકો, શિક્ષકો, વાલીઓ, એનજીઓ સહિત ૩૦૦ લોકોની ઉપસ્થિતિમાં બાળકો-વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે તણાવ મુક્ત કેવી રીતે રાખવા, શ્રેષ્ઠ પરિણામ મેળવવું જેવા વિષયો ઉપર મંથન-ચર્ચા યોજાશે.

(9:27 pm IST)