Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સાણંદ તાલુકાના તેલાવ નજીક નર્મદા કેનાલમાંથી મળી આવેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: મોતનેઘાટ ઉતારનાર બનેવીને પોલીસે ઝડપી પાડ્યો

સાણંદ:તાલુકાના તેલાવ ગામની  નર્મદા કેનાલમાંથી  ૧૦ દિવસ પહેલા  દોરડાથી હાથ અને દુુપટ્ટાથી પગ  બાંધી હત્યા કરેલી  મહિલાની લાશ મળી આવી હતી, આ હત્યા કેસનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. જેમાં મૃતક મહિલા પૂર્વ પતિના બનેવી એ  હત્યા કરી હોવાનું બહાર અ આવ્યુંં ં છે. મૃતક મહિલાના પુત્રની પૂછપરછમાં  સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી  હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે સાણંદ તાલુકાના તેલાવ ગામ પાસેથી પસાર થતી  નર્મદા કેનાલમાં થી ગત તા. ૫ના રોજ   દોરડાથી હાથ અને દુપટ્ટાથી પગ બાંધીને ૨૫ વર્ષીય મહિલાનો  હત્યા કરલો મૃતદેહ મળી  આવ્યો હતો આ બનાવ અંગે સાણંદ પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. સાણંદ તાલુકાના  એસીપી, કે.ટી. કામરીયાના જણાવ્યા મુજબ સાયન્સ સિટી ખાતે રહેતા  મૃતક મહિલા કોમલબેહન પ્રજાપતિના પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં હકીકત બહાર આવી હતી કે  કોમલબહેને ન્યુ રાણીપ ખાતે રહેતા અજય પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા,  પતિ-પત્ની થકી આઠ વર્ષનો પુત્ર પણ થયો હતો. પરંતુ અજય પટેલની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી નાના ચિલોડા ખાતે અરિહંત રેસિડેન્સીમાં  રહેતા તેમના બનેવી હિતેન્દ્રભાઇ તેમને મદદ કરતા હતા એટલું જ નહી મકાન પણ લઇ આપ્યું હતું.

(5:12 pm IST)