Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

રાજપીપળા સ્મશાન પાસે કરજણ નદિ કિનારે માછલી પકડવા ગયેલો યુવાન પાણીમાં ડૂબી જતાં મોત થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કરજણ નદીમાં માછલી પકડવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું

  મળતી માહિતી મુજબ અજયભાઈ ચંદ્રકાંતભાઇ વસાવા(ઉ.વ.૨૪) ( રહે- વાઘેથા નરસિંહ ટેકરી તા-નાંદોદ )ઓ તા.૧૪/૧૨/ ૨૦૨૧ ના રોજ કરજણ નદિમા તેના ગામના વિજયભાઈ કનુભાઈ વસાવા તથા રવિમાન્દ્રભાઈ ભુપેછન્દ્રભાઈ વસાવા તથા સંજુભાઈનાઓ સાથે માછલી પકડવા માટે ગયા હોય તે વખતે સાંજે 4.30 વાગ્યે અજય વસાવા નદિના ઉંડા પાણીમા માછલી પકડવા જતા પાણીમા ડૂબી જતા મોતને ભેટતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(11:21 pm IST)