Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટી ઉથલ પાથલની શક્યતા

ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કૈલાશનાથન અચાનક દિલ્હીમાં: કેન્દ્રમાંથી ગુજરાત પરત આવી રહ્યા છે રાજકુમાર: સોંપાઇ શકે છે મહત્વનુ પદ: સચિવાલયમાં અનેકવિધ ચર્ચા

અમદાવાદ : ગુજરાતના વહીવટી તંત્રમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ચાલુ સપ્તાહમાં જ વહીવટી તંત્રમાં મોટા ફેરફાર થવાની સચિવાલયમાં ચર્ચા જાગી છે

 ચર્ચા મુજબ કેન્દ્રમાંથી ગુજરાત પરત આવી રહેલા અધિકારી રાજકુમારને કોઈ મહત્વનું પદ મળે તેવી વાતો વચ્ચે  ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કૈલાશનાથન અચાનક દિલ્હીમાં પહોંચતા અનેકવિધ અટકળ જોવા મળી છે સચિવાલયમાં અન્ય અધિકારીઓ બદલાશે કે કેમ આ અંગે પણ ચર્ચા સાથે કેટલાક ગુજરાતમાં સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ - 2 હોવાનું પણ માની રહ્યા છે સચિવાલયની દરેક ચેમ્બર્સમાં એક જ ચર્ચા જાગી છે

 

(7:44 pm IST)