Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

નાંદોદ તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ પ્રથમ રવિવારે 1,174 અરજીઓ સુધારા,વધારા માટે આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નાંદોદ તાલુકામાં તારીખ 1.11.21 થી 30.11.21 સુધીનો મતદાર યાદી સુધારણા નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખાસ ઝૂમબેશ ના ચાર દિવસો પણ જાહેર કરાયા હોય ગત તારીખ 14.11.21ના પ્રથમ દિવસે નાંદોદ તાલુકાના મતદાન મથકો પર બીએલઓ દ્વારા થયેલી કામગીરી માં કુલ 1174 અરજીઓ સુધરા,વધારા સહિતના ઉકેલ માટે મળી હોવાનું તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

હવે આગામી તા.21.11 .21તા.27.11.21 શનિવાર અને તા.28 11 21 આમ બાકીના ત્રણ ખાસ જૂમ્બેશ ના  દિવસ માટે નર્મદા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કામગીરી થશે જેમાં કોઈપણ મતદારે પોતાના ચૂટણી કાર્ડમાં સુધારો વધારો કરવો હોય તો પોતાના મતદાન મથકે જઈ બુથ લેવલ અધિકારી ને મળી જરૂરી ફોર્મ ભરી સુધારો કરવાની કામગીરી થશે

(10:22 pm IST)