Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ઠાસરાના બધરપુરામાં ક્રેઈન અને એસટી બસ વચ્ચે અકસ્માત ક્રેઈન સાથે એસટી બસ અથડાઈ: 20 મુસાફરો ઘાય: ત્રણ ગંભીર

ડ્રાઇવર અને આગળની સીટમાં બેઠેલા ત્રણ મુસાફરો ગંભીર : નડિયાદ હોસ્પિટલે ખસેડાયા

ખેડા જિલ્લાના ઠાસરામાં ગમખ્વાર અકસ્માત થયો છે. ઠાસરા તાલુકાના બધરપુરા ગામે ક્રેઈન અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો. જેમાં 20  જેટલા લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને કરમસદ, ડાકોર અને ઠાસરાની હોસ્પિટલોમાં ખસેડાયા છે. ક્રેઈન રસ્તામાં ઉભી હતી ત્યારે તેની પાછળથી આવી રહેલી કેશોદ એસટી બસ ધડાકાભેર અથડાઈ હતી

અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર 20થી વધારે મુસાફરો ઘાયલ થયા છે. એસટી બસ અને ચેઇનકપ્પા વચ્ચે થયેલા અકસ્તામાં 20થી વધારે લોકો ઘાયલ થયા છે. જેમાં 3 મુસાફરો ગંભીર રીતે ઘાયલ હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

 ઘટના અંગે માહિતી મળતાની સાથે જ તંત્ર દોડતું થયું હતું. 9 ગંભીર રીતે ઇજાગ્રસ્તોને નડિયાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દાહોદથી કેશોદ જઇ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. એસટી બસ અને ચેઇન કપ્પાનો આગળનો ભાગ ઘુસી જતા 20થીવધારે મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં ડ્રાઇવર અને આગળની સીટમાં બેઠેલા ત્રણ મુસાફરો સૌથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના અંગે માહિતી મળતા સ્થાનિક પોલીસ સહિતનું તંત્ર દોડી આવ્યું હતું. પોલીસ દ્વારા હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

(11:54 pm IST)