Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સિવીલ જજની ભરતીમાં આર્થિક પછાત વર્ગના કવોટાનો અમલ માગતી પીઆઇએલ પાછી ખેંચાઇ

રાજકોટઃ સિવિલ જજની ભરતી માટેની બહાર પાડેલી જાહેરાતમાં ૧૦ ટકા EWS ( આર્થિક પછાત વર્ગ) નો કવોટા અમલ કરવાની દાદ માગતી જાહેર હિતની અરજી અરજદારે હાઇકોર્ટમાંથી પરત ખેંચી છે.

 હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ તથા જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે એવો મત વ્યકત કર્યો હતો કે, આ સર્વિસ મેટરનો વિષય હોવાથી તેને જાહેર હિતની અરજી તરીકે ગણી ના શકાય. તેથી અરજદાર તરફથી આ જાહેર હિતની અરજીને સિવિલ એપ્લિકેશન તરીકે નવેસરથી કરવાની છૂટ સાથે પરત ખેચી હતી. તેવુ જાણવા મળે છે.

(11:40 am IST)