Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

આણંદમાં પરિણીતાને વિદેશ લઇ જવાની લાલચ આપી સાસરિયા દાગીના પચાવી પાડ્યા

આણંદ:માં પરણિતાને કેનેડા લઈ જવાનો વિશ્વાસ અપાવી એનઆરઆઈ સાસરીયાંઓએ દાગીના પડાવી લેતા સમગ્ર મામલો મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
આ અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઈસ્ટ મુંબઈમાં ચુનાભઠ્ઠી રેસીડેન્સી પાટીલલેન વિસ્તાર સ્થિત સિધ્ધીશ્વ રેસીડન્સી ખાતે ધારાબેન રમેશભાઈ રાઠોડ રહે છે. તેમના લગ્ન 31મી માર્ચના રોજ હાલ કેનેડા રહેતા મૂળ આણંદમાં આવેલી ગાયત્રી શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા મૌલિક પટેલ સાથે થયા હતા. લગ્ન સમયે ધારાબેનને પતિ મૌલિકભાઈ શરદભાઈ પટેલ, સસરા શરદભાઈ રણછોડભાઈ પટેલ, સાસુ પૂર્ણિમા દવે, અને નણંદ હેતલબેન શરદભાઈ પટેલે કેનેડા લઈ જવાનો વિશ્વાસ આપ્યો હતો. અને તેમને વિશ્વાસમાં લઈ પરણીતા ધારાબેનના પિયરમાંથી લાવેલા સોનાના દાગીના પડાવી લીધા હતા. વધુમાં તેમને શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ બનાવ અંગે આણંદ મહિલા પોલીસે ધારાબેન રાઠોડની ફરિયાદના આધારે સાસરીયાંઓ વિરુદ્ધ ઘરેલું હિસાની કલમ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

(5:08 pm IST)