Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ઠાસરા તાલુકાના સૈયતમાં અગમ્ય કારણોસર દાઝી જતા માં દીકરો મોતને ભેટ્યા

ઠાસરા:તાલુકાના સૈયાંતમાં વહેલી પરોઢીયે મા-દીકરો કોઈ કારણસર ગંભીર રીતે દાઝી ગયા હતા. આ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના સૈયાંતમાં ચાવડા પરિવાર રહે છે. ગઈકાલે રાત્રે કૈલાસબેન અશોકભાઈ ચાવડા જમી પરવારી દીકરા સાથે ઘરમાં સૂઈ ગયા હતા. આ દરમ્યાન સવારના સાડા પાંચ વાગ્યા પહેલાં કોઈ પણ સમયે અકસ્માતમાં મા- દીકરો આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. જેની જાણ થતા પરિવારજનોએ તુરંત જ કૈલાસબેન અશોકભાઈ ચાવડા (ઉ. ૩૦ વર્ષ) ની સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા, જ્યારે નીતિન અશોકભાઈ ચાવડા (ઉંમર દોઢ વર્ષ) ને ડાકોર સરકારી હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા ત્યારે બંનેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. 

આ બનાવની જાણ થતાં ઠાસરા પોલીસે મા-દીકરાનું પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. આ મા-દીકરાનું અકસ્માતે આગ લાગતા દાઝી ગયા કે પછી મહિલાએ દીકરાને સાથે લઈ સળગી ગઈ તે અંગે ચર્ચાએ જોર પકડ્યું છે. હાલમાં ઠાસરા પોલીસમાં મનુભાઈ બાધાભાઈ ચાવડાએ જાણ કરતા અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:02 pm IST)