Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

કોઇ પણ જગ્યાએ મુખ્યમંત્રીએ શકિતસિંહ ગોહીલનું નામ લીધું નથી, આક્ષેપો બેબુનીયાદઃ નિતીનભાઇ પટેલ

રાજકોટ, તા., ૧૭: પરપ્રાંતીયો ઉપર હુમલાની ઘટના બાદ કોંગ્રેસના નેતા શકિતસિંહ ગોહીલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સામે કેસ કરવાની અને બદનક્ષીની ચિમકી આપ્યા બાદ રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે આજે ંફેસબુક પેઇજ ઉપર પત્રકાર પરીષદમાં શકિતસિંહ ગોહીલના આક્ષેપો બેબુનીયાદ હોવાનું જણાવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શકિતસિંહ ગોહીલના નામનો કોઇ પણ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિજયભાઇ રૂપાણી ઉતરપ્રદેશના પ્રવાસે ગયા ત્યારે પણ ત્યાં પત્રકાર પરીષદમાં શકિતસિંહ ગોહીલના નામનો ઉલ્લેખ કર્યો નથી. ચકાસણી કર્યા વગર કે પુરાવા વગર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સામે આક્ષેપ કર્યા છે જે અયોગ્ય છે.

ફેસબુક પેઇજ ઉપર નિતીનભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે પરપ્રાંતીયો ઉપર કોણે હુમલા કરાવ્યા તે લોકો સારી રીતે જાણે છે જેથી કોંગ્રેસના આગેવાનોએ મુખ્યમંત્રી સામે આવા બેબુનીયાદ આક્ષેપો ન કરવા જોઇએ. (૪.૧૨)

(3:48 pm IST)