Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

નવરાત્રિ વેકેશન નહિ પાડનારી સ્કૂલો સામે સરકારી પગલાં : કેટલીક શાળાઓને શો-કોઝ નોટીસ ફટકારી જવાબ માંગ્યો

અમદાવાદ :રાજય સરકારે નવરાત્રી વેકેશન બાબતે બાહર પાડેલ પરિપત્રનો શાળા સંચાલકોએ અનાદર કરીને સ્કૂલો ચાલુ રાખી હતી અમરેલીમાં નવરાત્રી વેકેશનના સરકારના પરિપત્રનો ઉલળીયો કેટલીક શાળાઓએ નવરાત્રી માટે જાહેર કરેલ વેકેશન દરમ્યાન ધરાર સ્કૂલો ચાલુ રાખી સરકારનો પણ ખુલ્લો અનાદર કર્યો છે.જોકે શિક્ષણ વિભાગને જાણ કરાતાં તંત્રએ આવી શાળાઓ સામે પગલાં લઇને શો-કોઝ નોટિસ પાઠવીને જવાબ આપવા જણાવ્યું છે.શિક્ષણાધિકારીએ પણ પરિપત્રનું પાલન ન કરનારી શાળાઓ સામે પગલાં લેવાશે તેમ સોય ઝાટકીને સ્પસ્ટ શબ્દોમાં જણાવ્યું છે.

 

(1:00 pm IST)