Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

૧૮ સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર : મગફળી કૌભાંડ ગાજશે

સરકારે માત્ર બે દિ'નું ચોમાસુ સત્ર બોલાવ્યું : સરકારને વિવિધ મુદ્દે ઘેરવા વિપક્ષ કોંગ્રેસની તૈયારી

ગાંધીનગર, તા. ૧૭ : ગુજરાત વિધાનસભાનું સત્ર ૧૮ સપ્ટેમ્બરે મળનાર છે. સરકારે માત્ર બે દિવસનું સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં પ્રશ્નોત્તરી માટે નોંધપાત્ર સમય રહેશે નહિં પણ જેટલો સમય મળે તેટલા સમયમાં સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ છે. સૌરાષ્ટ્રના ચકચારી મગફળી સહિતના પ્રકરણે ગાજશે. સત્રના આરંભ સાથે જ ધબધબાટી થવાની શકયતા છે.

મગફળી કૌભાંડમાં રપ થી વધુ શખ્સોની ધરપકડ થઇ ચૂકી છે. સતાધારી અને વિપક્ષે સામસામા આક્ષેપોના તીર છોડયા છે. આ પ્રકરણને વિધાનસભામાં ગજાવવાનો કોંગ્રેસનો વ્યૂહ છે. ઉપરાંત કાયદો વ્યવસ્થા, બેરોજગારી પીવાનું પાણી, ખેડૂતોની સમસ્યા વગેરે બાબતે વિપક્ષ સરકારને ભીસમાં લેવા માંગે છે. (૮.૧ર)

(3:51 pm IST)