Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અંકલેશ્વરમાં લોભામણી સ્કીમથી લોકો સાથે છેતરપીંડી કરતો ફરાર આરોપી ઝડપાયો

અંકલેશ્વરમાં લોભામણી સ્કીમ આપી લોકો સાથે છેતરપીંડી કરનાર આરોપીની શહેર પોલીસે ધરપકડ કરી છે. આ અગાઉ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

  અંકલેશ્વરમાં વર્ષ 2016માં ગડખોલ પાટીયા વિસ્તારમાં બદ્રી નારાયણ ઝા નામના શખ્તે એન્જલ ફાયનાન્સ નામની ઓફીસ ખોલી હતી. જેમાંથી વિવિધ લોભામણી સ્કીમ આપી લોકો પાસે રૂપિયા ઉઘરાવ્યા હતા. ત્યારબાદ ઓફીસ બંધ કરી ફરાર થઇ ગયા હતા

  . આ અંગે છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ફરાર આરોપી બદ્રી નારાયણ ઝાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલામાં અગાઉ ૩ આરોપીઓની ધરપડક કરી હતી. સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:54 pm IST)