Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અટલજી વડાપ્રધાન અને હું મુખ્યમંત્રી હતો ત્યારે નર્મદા ડેમની ઉંચાઈ વધારવા મંજૂરી આપી : કેશુભાઈ પટેલ

તેઓ જ્યારે સૌરાષ્ટ્ર આવ્યા હતા ત્યારે તેમની સાથે હું ફરતો હતો પ્રજા તેમને સાંભળવા આવતી હતી

 

અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે અટલ બિહારી વાજપેયી અંગે પ્રાર્થના કરી હતી. સાથે તેઓએ તેમના જીવન કાળ દરમિયાન અટલજી સાથેના સંસ્મરણોને વાગોળતા કહ્યુ હતું કે તેઓ જ્યારે સૌરાષ્ટ્ર આવ્યા હતા ત્યારે તેમની સાથે હું ફરતો હતો પ્રજા તેમને સાંભળવા આવતી હતી. તેઓ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા. આ સાથે જ્યારે તેઓ પ્રધાનમંત્રી હતી અને પોતે મુખ્યપ્રધાન હતા ત્યારે નર્મદા ડેમની ઉંચાઇ વધારવાની મંજુરી આપી હોવાની વાત કરી હતી.

-- 

(10:58 pm IST)