Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ભેટાસીમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી એક પર જીવલેણ હુમલો

આંકલાવ: તાલુકાના ભેટાસી વાંટા ખાતે આવેલી એક કેળાની દુકાને આવી ચઢેલા ચાર શખ્સોએ એકને ગડદાપાટુ તેમજ ઈંટોથી માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ફરિયાદી દિલીપભાઈ ગણપતભાઈ સોલંકી આજે સાંજના સવા ચારેક વાગ્યાના સુમારે રાજુભાઈની કેળાની ઓફિસે હિસાબ કરવા માટે ગયા હતા ત્યારે લ-મણભાઈ સાહેબસિંહ સોલંકી, યોગન્દ્રભાઈ વખતસિંહ સોલંકી, કમલેશભાઈ લ-મણભાઈ સોલંકી અને કરણભાઈ સુરેન્દ્રસિંહ મહિડા આવી ચઢ્યા હતા અને અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખીને ગમે તેવી ગાળો બોલી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. દરમ્યાન કમલેશ અને કરણભાઈ નજીકમાંથી ઈંટો લઈ આવ્યા હતા અને ઈંટોથી શરીરના ભાગે માર મારતાં ગભીર ઈજાઓ થવા પામી હતી. 

 

(6:18 pm IST)