Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

સુરતના વરાછામાં ચીન વિરુદ્ધ પ્રદર્શન : ચાઇનાના ટીવી તોડીને નોંધાવ્યો વિરોધ

ચાઇનાની વસ્તુનો બહિષ્કાર કરવાની વાત કરી

 

સુરતઃ ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી ઝડપમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. તો સામા પક્ષે ચીનના પણ 43 જવાનોના મોત થયા છે. ચીનની હરકત બાદ સમગ્ર દેશમાં લોકો ગુસ્સામાં છે. ચીન વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. લોકોએ ચાઇનાની વસ્તુનો બહિષ્કાર કરવાનું નક્કી કહ્યું છે. ત્યારે સુરતમાં પણ લોકોમાં ગુસ્સો જોવા મળ્યો છે. અહીં લોકોએ વિરોધ કર્યો હતો.

ભારતીય જવાનોની શહીદી બાદ લોકો આક્રમક જોવા મળી રહ્યાં છે. તો સુરતના વરાછા વિસ્તારમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. અહીં પંચરત્ન ગાર્ડનના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકોએ ચાઇનાનું ટીવી તોડીને વિરોધ નોંધાવ્યો હતો. સાથે ચાઇનાની વસ્તુનો બહિષ્કાર કરવાની વાત કરી હતી.

 

(12:39 am IST)