Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

નર્મદા જિલ્લાના સેલંબા ખાતે બાળમજુરને મહારાષ્ટ્રથી લાવી ત્રણ ત્રણ વર્ષ સુધી ગોંધી મારઝૂડ કરાતી હોવાનો કિસ્સો ખુલ્યો

માતા પિતા એ બાળકનુ વેચાણ કર્યુ ? બાળક ની ઉઠાંતરી કરાઇ? કે પછી તસ્કરી નો મામલો ?: 11 વર્ષીય બાળક ની મારઝૂડ થતાં સેલંબા થી ફરાર થઈ સોનગઢ ખાતે પહોચતા સમગ્ર પ્રકરણ પ્રકાશ મા આવ્યો:

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જીલ્લાના સેલંબા ખાતે બાળમજુરને મહારાષ્ટ્રથી લાવી ત્રણ ત્રણ વર્ષ સુધી તેને ગોંધી રાખી મારઝુડ કરાતા 11 વર્ષીય બાળક પોતાના માલિકના ધરેથી ફરાર થઈ સોનગઢ ખાતે પહોચતા સમગ્ર પ્રકરણ મા બાળમજુરી,બાળ તસ્કરી સહિત ઉઠાંતરી કે ખરીદ વેંચાણ થયેલ હોવાની આશંકાઓને નકારી શકાય નહીં. ત્યારે સોનગઢ પોલીસ સહિત નર્મદા પોલીસ સમગ્ર પ્રકરણ ની તપાસ હાથ ધરી રહી હોવાનું જાણવા મળ્યું છે
સમગ્ર પ્રકરણ ની વાત કરીએ તો નર્મદા જિલ્લાના સેલંબા ખાતે રહેતો અને મેળા વિગેરેમા રમકડાંની દુકાન લગાવતો આરોપી સુનીલ હરીશ વાધેલા નાઓનો ત્રણ વર્ષ પહેલા આઠ વર્ષીય એક બાળકને મુળ રહે.જીલ્લો નાશિક ,મહારાષ્ટ્રને નાશિકના મેળામાંથી પોતાના ધરે લઇ આવ્યો હતો અને તેની પાસે ઘરકામ સહિત તેની દુકાનનો અન્ય કામકાજ કરાવતો, અને આ બાળક ને મારઝૂડ પણ કરતો,પોતાની મારઝૂડ થતાં બાળક કંટાળી ગત તા. 31મી મેના રોજ સેલંબા ખાતે થી ફરાર થઈ સોનગઢ ખાતે પહોચતા નાની વયનો 11 વર્ષીય બાળક આમતેમ રખડતાં માલુમ પડતાં સોનગઢ પોલીસ અને બાળકલ્યાણ સમિતિ હરકત મા આવી હતી.સોનગઢ પોલીસ સહિત બાળ કલ્યાણ સમિતિ એ બાળક ની પુછપરછ કરતા તેણે પોતે મહારાષ્ટ્ર ના નાશિક જીલ્લા ના ધોટી ગામ નો હોવાનું જણાવ્યું હતું.અને પોતાને સેલંબા નો સુનિલ વાધેલા ત્રણ વર્ષ થી લાવ્યો હોવાની પણ માહિતી આપી હતી.
  સોનગઢ પોલીસ મથકમાં સેલંબા ના સુનીલ સામે પોલીસે ફરિયાદ નોંધી તેની જાણ નર્મદા જિલ્લા પોલીસ ને કરાતાં નર્મદા જિલ્લા પોલીસ પણ હરકત મા આવી હતી,અને સાગબારા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ બાળ ન્યાય અધિનિયમ ની કલમો 75 અને 79 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે .
  આરોપી ને વ્યારા LCB પોલીસ તપાસ અર્થે લઇ ગયા નુ પણ જાણવા મળેલ છે, જયારે અગિયાર વર્ષીય બાળક ને હાલ વ્યારા ખાતેના ચિલ્ડ્રન હોમમાં બાળકલ્યાણ સમિતિ ની દેખરેખ હેઠળ રખાયો છે.પોલીસ દ્વારા નાશિક પોલીસ સાથે વાતચીત કરીને તેના માતાપિતા ની શોધખોળ આરંભવામા આવી છે.
નર્મદા જિલ્લાના સેલંબા ખાતે ના રહીશ ની પરપ્રાંતીય મહારાષ્ટ્ર ના બાળક ને બાળમજુરી કરાવી તેનુ શોષણ મારઝૂડ કરાતી હોવાની કિસ્સો હાલતો પ્રકાશ મા આવ્યો છે , પરંતુ બાળક મહારાષ્ટ્ર નો હોય ને આ પ્રકરણ મા અનેક સવાલો ઉપસ્થિત થાય છે, શુ બાળક ને તેનાં માતાપિતા એજ નાણાં ની લાલચ મા વેચી માર્યો ? શુ આ બાળક નો માનવ તસ્કરી સાથે કોઈ સંબંધ છે ? શુ બાળક ની ઉઠાંતરી કરીને સેલંબા ખાતે લવાયો ?આ તમામ પશ્રો હાલ ચર્ચાસ્પદ બનેલ છે, સમગ્ર હકીકત તો પોલીસ તપાસમાજ બહાર આવશે.

(9:46 pm IST)