Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામે કપિરાજનો આતંક:સાત જણાને બચકા ભારત લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

હિંમતનગર:તાલુકાના કાંકણોલ ગામે મંગળવારે સવારે અચાનક એક કપિરાજે  આતંક મચાવવાનું શરૂ કરી દેતા આખા ગામમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.

આ કપિરાજે ગામમાં રહેતા સાત જણાને બચકા ભરી લેતા તેમને સારવાર લેવાની ફરજ પડી હતી. જોકે ગ્રામજનોએ આ કપિરાજને પકડવા માટે પાંજરૂ લાવીને મૂકયુ હતું.  હિંમતનગરના તાબામાં આવેલ કાંકણોલ ગામમાં મંગળવારે સવારે અચાનક ચઢી આવેલા એક કપિરાજે મકાનની અગાશીઓ પર કૂદાકૂદ શરૃ કરી દીધી હતી અને આંગણામાં તથા મહોલ્લામાં ફરતા ચારથી વધુ લોકોને નિશાન બનાવીને બચકા ભરવાનું શરૃ કરી દીધુ હતું. જેના લીધે ગામમાં સન્નાટો પ્રસરી ગયો હતો. બીજી તરફ ગ્રામજનો દ્વારા આ તોફાની કપિરાજને પકડવા માટે વન વિભાગની મદદથી પાંજરૂ મંગાવવામાં આવ્યુ હતું.  જેના લીધે ગામમાં બાળકોવૃધ્ધો તથા મહિલાઓને ભયના ઓથાર નીચે ઘરોમાં પુરાઇ રહેવાનો વખત આવ્યો હતો.  મળતી માહિતી મુજબ કાંકણોલ ગામે તોફાને ચઢેલા કપિરાજે બે યુવાનોત્રણ વૃધ્ધો તથા બે મહિલાઓને નિશાન બનાવી બચકા ભરી લીધા હતા.

(5:57 pm IST)