Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અમદાવાના મણિનગરમાં નરાધમ જમાઈએ સાસુને ગોળી મારી દેતા ચકચાર મચી જવા પામ્યો

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં આજે વહેલી સવારે ફાયરીંગની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે, જેમાં જમાઈએ સાસુને ગોળી મારતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ છે.

મણીનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એમ. પટેલના જણાવ્યા મુજબ, મણિનગર વિસ્તારમાં સૃષ્ટિ એપાર્ટમેન્ટ નજીક આજે સવારે ફાયરિંગનો બનાવ બન્યો હતો.

જમાઈએ સાસુને ગોળી મારી દીધી હતી. ઇજાગ્રસ્ત સાસુને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે આરોપી દુશ્મન આશિષ દેસાઇની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:43 pm IST)