Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અમદાવાદના મણીનગરમાં પિયરમાં જતી રહેલી પત્‍નીને જન્‍મદિવસની શુભેચ્‍છા આપવા ફોન કરતા નારાજ પત્‍નીએ જવાબ ન આપતા પતિએ સાસરીયે આવીને ફાયરીંગ કર્યું: સાસુને ઇજા

અમદાવાદ: મણીનગરના રામબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાછળ મહેતા એવન્યુમાં સાસરીમાં જઈને જમાઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કરતા સાસુને હાથની આંગળીઓમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બર્થ ડે વિશ કરવા પત્નીને મંગળવારે રાત્રે પતિએ અનેક કોલ કર્યા પણ નારાજ પત્નીએ ફોનનો જવાબ ન આપતા ઉશેકેરાયેલા પતિએ સાસરીમાં જીઈ આ કૃત્ય આચર્યું હતું. ભોગ બનનાર પરિવારે ફરિયાદ આપવામાં આનાકાની કરતા પોલીસે સરકાર તરફે ગુનો દાખલ કરવા તજવીજ કરી છે. આરોપીને પોલીસ નજર હેઠળ કોરોના રિપોર્ટ ના આવે ત્યાં સુધી રાખ્યો છે.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ, મૂળ સુરધારા બંગલો મેમનગરમાં રહેતા રોડ કોન્ટ્રેક્ટર તરીકે આશિષ નરેન્દ્ર દેસાઈ ધંધો કરતા હતા. ધંધામાં નુકસાન જતાં ગાડી બંગલો વેચી તેઓ મણિનગર વિસ્તારમાં છ માસથી પત્ની વર્ષાબહેન સાથે ભાડે રહેવા માટે ગયા હતા. આશિષ દેસાઈએ અગાઉની પત્ની અને બે સંતાનથી છુટા થયા બાદ વર્ષાબહેન સાથે લિવ ઈનમાં રહેવાનું શરૂ કર્યું હતું. બીજી પત્ની વર્ષાથી પણ આશિષને બે બાળકો છે.

દંપતિ વચ્ચે ટકરાવ થતાં પત્ની વર્ષા છેલ્લા કેટલાક દિવસોથી તેના પિયરમાં રહેવા જતી રહી હતી. ગઈકાલે મંગળવારે પત્નીનો જન્મદિવસ હોવાથી પતિએ બર્થ ડે વિશ કરવા કોલ કર્યા પણ નારાજ પત્નીએ કોલનો જવાબ આપ્યો નહોતો. બનાવને પગલે આશિષે આજે સવારે સાસરીમાં જઈને બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેમાં એક ગોળી હાથ પર અથડાઈને જતી રહેતાં સાસુ રાજરાણીબહેનને સામાન્ય ઇજાઓ થઈ હતી. બનાવને પગલે મણિનગર પોલીસે સ્થળ પર જઈ તપાસ હાથ ધરી હતી.

(5:19 pm IST)