Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનું ધો.૧૨નુંઝળહળતુ ૧૦૦ % પરિણામ: ૧૫ વર્ષથી સતત ૧૦૦ ટકા પરિણામ

અમદાવાદ તા. ૧૭ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનું ગત માર્ચ-૨૦૨૦ માં લેવાયેલ ધો.૧૨નું સંસ્કૃત માધ્યમનું ઝળહળતું ૧૦૦ ટકા પરિણામ આવેલ છે.

     પાઠશાળામાં ટોપ પ્રથમ ત્રણમાં ઝળહળતી સફળતા મેળવનાર તથા તમામ વિદ્યાર્થીઓને શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી અને અર્જુનાચાર્યે તેમજ પાઠશાળાનું સંચાલન કરતા મુનિવત્સલદાસજી સ્વામી અને શામજી ભગતે શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા. પાઠશાળામાં ટોપ પ્રથમ ત્રણમાં આવેલ ઋષિકુમારો.

.કોઠારી રાજ   ..................૯૬.૩૫ પર્સનટાઇલ

.સ્વામી જ્ઞાનસાગરદાસજી...૯૦.૮૯   "

. ત્રિવેદી રાજ.....................૯૦.૮૯   "

(1:07 pm IST)