Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

નડિયાદ શહેરમાં પૈસાની બાબતે થયેલ ઝઘડામાં વેપારીએ યુવકની હત્યા કરતા ચકચાર

નડિયાદ:શહેરમાં ૮૦ રૂપિયાની માથાકુટ બાબતે વેપારી અને ગ્રાહકના ઝઘડામાં વચ્ચે પડેલ યુવકની હત્યા થયાના બનાવે ચકચાર મચી છે. શહેરના જવાહર નગર જવાના રોડ તરફ ડબ્બાવાસ આવેલ છે જ્યા સવારે ૧૦ વાગ્યાની આસપાસ વેપારી અને ગ્રાહક વચ્ચે ૮૦ રૂપિયા પરત આપવા બાબતે તકરાર થઇ હતી. સમગ્ર તકરાર દરમ્યાન ગ્રાહકનો ભત્રીજો વચ્ચે પડ્યો હતો, જેને વેપારીએ ધક્કો મારતા પડી જતા તેનું મૃત્યુ થયું છે. નડિયાદ ટાઉન પોલીસે ઘટના સંદર્ભ ગુનો દાખલ કરી વેપારીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

નડિયાદ શહેરના કપડવંજ રોડથી જવાહર નગર તરફ જવાના રસ્તે ડબ્બાવાસ આવેલ છે. અત્રે હરચનકુમાર જેસાજી પુરોહિતની કરીયાણાની દુકાન આવેલ છે. જે દુકાન પર આજે સવારના સમયે સોમચંદ ખેમચંદ લ-મીલાલ નટગોસાઇનાઓ અગરબત્તી અને સિગારેટ લેવા ગયા હતા. દરમ્યાન સોમચંદને ભુતનાથ મહાદેવ જવાનુ હોઇ તેણે વેપારીને રૂ.૧૦૦ની નોટ આપી રૂ.૨૦નો સામાન ખરીદો હતો. જે બાદ તેણે રૂ.૮૦ પરત આપવા માટે માંગ કરી હતી. જોકે વેપારી હરચનકુમાર જેસાજી પુરોહિતે રૂપિયા પરત આપી દીધા છે, કેમ ફરીવાર માગે છે તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. અને ગાળો બોલી દુકાનમાંથી દંડો કાઢી સોમચંદના માથાના ભાગે મારતા લોહી નીકળ્યું હતુ.

(5:31 pm IST)