Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

લેખિકા અને કવયિત્રી બીના પટેલના પાંચમા પુસ્તક ' આસ્થાનું ભાવવિશ્વ'નું ડો. સંતોષ દેવકરના હસ્તે વિમોચન

ગઈકાલે તા. 16/4/2024 મંગળવારના રોજ સાંજે દહેગામ ખાતે સદભાવના વિદ્યામંદિરના સંકુલમાં શાળાનો વાર્ષિકોત્સવ ખુબ ધામધૂમથી ઉજવાયો હતો. શાળાના ટ્રસ્ટીગણ, શિક્ષકગણ અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં   લેખિકા અને કવયિત્રી બીના પટેલના પાંચમા પુસ્તક ' આસ્થાનું ભાવવિશ્વ' નું વિમોચન ડો. સંતોષ દેવકરના હસ્તે થયું હતું. આધ્યાત્મિક અને માનવીય સંબધો વિશેના આ પુસ્તકમાં પચાસ જેટલાં માહિતીસભર લેખો છે.સમાજના દરેક વર્ગના લોકોને વાંચવું ગમે તેવું આ પુસ્તક છે.

(3:02 pm IST)