Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

આઝાદી કા અમૃત મહોત્સવઃ નરહરિ અમીનની હીરામણિ શાળામાં ઉજવણી

રાજકોટઃ. દાંડીયાત્રાની ઐતિહાસિક ઘટનાને યાદ કરતા 'આઝાદીના અમૃત મહોત્સવ'ની ઉજવણીનો સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે ૧૨ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભારંભ કરાવ્યો. જેના અનુસંધાને અમદાવાદની હીરામણિ શાળા (ગુજરાતી માધ્યમ)ના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું. જે અંતર્ગત દાંડીયાત્રાના પ્રસંગને વર્ણવતા વિષય સંદર્ભે ચિત્ર સ્પર્ધાનું તથા આ પ્રસંગે જોડાયેલા બાપુ સાથેના મહાનુભાવો વિશે ફોટોગ્રાફસ એકત્રિત કરવા, 'દાંડીયાત્રાનો ધ્યેય' વિષય પર વકતૃત્વ સ્પર્ધા અને ગાંધીબાપુના વિવિધ પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવેલું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઓનલાઈન અને ઓફલાઈન ભાગ લીધેલો. આ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટીશ્રી વરૂણ નરહરિભાઈ અમીન, સી.ઈ.ઓ. ભગવતભાઈ અમીન, શૈક્ષણિક સલાહકાર ગોપાણીએ  શાળાના આચાર્ય, કો-ઓર્ડિનેટર, શિક્ષકોે અને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ બદલ અભિનંદન આપ્યા હતા.

(3:29 pm IST)