Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

હિંમતનગરમા ઘોરવાડા ગામમાં જુના મકાનમાં સોનાના ચરૂ હોવાની તાંત્રીકવિધી બાદ હત્યા

હિંમતનગરઃ તાંત્રીકોની વાતોમાં ભોળવાઇને ચરૂની લાલચમાં તાંત્રીકવિધી કરતા એક વ્યક્તિની હત્યા થતા અરેરાટી વ્યાપી ગઇ છે

પ્રાપ્ત માહિતી મુજબ હિંમતનગરના ઘોરવાડા ગામે લાલચની લ્હાયમાં શખ્સની હત્યા કરાયેલી લાશ મળી આવી. પોતાના જૂના મકાનમાં સોનાના ચરૂ દટાયેલા છે એવું માનતા ફારૂકભાઇ અવારનવાર પોતાના ગામડે તાંત્રિક વિધી કરાવતા હતા.

પરંતુ ઘણા દિવસથી ફારૂકભાઇ ઘરે ન આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને તેમના જૂના ઘરે ખાડો ખોદતા તેમની જ લાશ મળી આવી. મૃતક પર બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાઇ હોવાનુ માલુમ પડ્યુ છે. ત્યારે આ હત્યા તાંત્રિકો દ્વારા કરવામાં આવી છે કે કેમ તે શંકાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(8:16 pm IST)