Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અંકલેશ્વરમાં મહિલાએ 10 રૂપિયાની લાલચ આપી બાળકને છ મહિના સુધી ગોંધી રાખ્યો

અંક્લેશ્વર:માં મહિલાએ રૃપિયા ૧૦ની લાલચ આપી એક બાળકને ઘરમાં છેલ્લા છ મહિનાથી ગોંધી રાખ્યો હતો, જોકે મહિલાની કેદમાં રહેલો બાળક આપ મેળે ભાગી છૂટી પોતાના માબાપને મળી જતાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
અંક્લેશ્વરનાં સંજય નગર વિસ્તારમાં રહેતા પતિરામ પાસવાનનો ૭ વર્ષીય મોહિત ગત તારીખ ૧૫મી નવેમ્બરે રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. જેની અનેક દિવસો સુધી શોધખોળ કરી હતી. જેની શહેર પોલીસ મથકે ફરિયાદ થઇ હતી.
પુત્ર મોહિત લાંબા સમય બાદ ઘર નજીક આવી ગયો હતો. બાળકની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, અંક્લેશ્વરનાં ગુરૃદ્વારા વિસ્તારમાં આવેલાં બાલાની ચાલમાં રહેતી રશીદા મહમદ પટેલ નામની મહિલાએ બાળકને રૃપિયા ૧૦ આપવાની લાલચ આપી તેને પોતાના ઘરે લઇ ગઇ હતી, તેને અવારનવાર મારમારી ઘરની બહાર જવા દેતી નહોતી.
જ્યારે મોહિત તેના મૂળ ઘર સંજય નગર પહોંચી ગયો હતો. અને તેના માતાપિતાને લાંબા સમય બાદ મળ્યો હતો. આ બાળકનાં શરીર ઉપર મારપીટ કર્યાનાં નિશાન પણ મળી આવ્યા હતા.
અંક્લેશ્વર શહેર પોલીસને ગુરૃદ્વારા વિસ્તારમાં દોડી ગઇ હતી અને બાળકને ગોંધી રાખનાર મહિલા રશીદા મહમદ પટેલની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. પોલીસની તપાસમાં રશીદાએ પોતે મુસ્લિમ હોય બાળકનું સુન્નત કરાવ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું.

(6:27 pm IST)