Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સિંચાઈ માટે પાણી બંધ કરાતા ખેડૂતો જળ આંદોલનના માર્ગે :કેનાલ વિસ્તારમાં પોલીસ કાફલો ઉતારી દેવાયો

અમદાવાદ ;નર્મદા મુખ્ય કેનાલનું પાણી સિંચાઈ માટે ખેડૂતોને આપવાનું બંધ કરવામાં આવતા ખેડૂતોએ જળ આંદોલનની શરૂઆત કરી છે.જેને કારણે કેનાલ વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

ગુજરાત સરકારે અગાઉથી કરેલી જાહેરાત મુજબ 15 માર્ચ મધ્યરાત્રિથી નર્મદાની સબ માયનોર કેનાલોમાં પાણી આપવાનું બંધ કરી દેનાયું છે.જેને કારણે સ્થાનિક આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કર્યા છે અને ખેડૂતોને પાણી આપવાની માંગ કરી છે.

આજે ખેડૂતો અને ભારતીય લાયન સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવાના હોઈ તેને લઇને જિલ્લાભરની પોલીસનો કાફકો મુખ્ય કેનાલ વિસ્તારમાં ગોઠવી દેવાયો છે. પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી છે અને તેઓ મુખ્ય કેનાલ ઝીરો પોઇન્ટ તરફ જાય તે પહેલા તમામને ડિટેઈન કરી લેવાયા છે.

(9:30 am IST)