Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

જરૂર પડશે તો મોટેરા સ્ટેડિયમને ઘેરાવ કરશું : કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનો ધ્રુજારો

શૈલેષ પરમારે કહ્યું અનામતમા કોઈ ફેરફાર કરશે તો ભાજપની ખુરશીના પાયા હલાવી નાખશું

અમદાવાદ : કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશના ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતુ કે અનામત અને બિનઅનામત વર્ગને સરકાર લડાવવા ઇચ્છે છે. સરકાર આયોજનપૂર્વક વર્ગવિગ્રહ કરાવવા આગળ વધી રહી છે. લોકોએ સરકારની આ નિતિ સમજવી જોઈએ.

  કોંગ્રેસ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી તુષાર ચૌધરનીનુ મોટું નિવેદન આપતા કહ્યું હતુ કે જરૂર લાગશે તો મોદીના કાર્યક્રમ મોટેથી સ્ટેડિયમ નો ઘેરવા કરાશે ..અને વિધાનસભા ઘેરવા તો કરી શકાય પણ મોટેરા સ્ટેડિયમ ઘેરાવ કરાશે.

  વિધાનસભા ઉપ નેતા અને દાણીલીમડા ધારાસભ્ય શૈલેષ પરમારે પોતાના સંબોધનમાં કહ્યું હતુ કે જો અનામત કોઇ પણ પ્રકારનો ફેરફાર કરાશે તો ભાજપની ખુરશીના પાયા હલાવી નાંખીશું .. આંદોલન કરનાર લોકોને ગેર માર્ગે દોરે છે. ૨૦૧૮ નો પરિપત્ર કેમ રદ કરતા નથી. ૩૭૦ કલમ દુર કરતા હોય તો કેન પરિપત્ર રદ નથી કરતા . એલ આર ડી મુદ્દે આંદોલન હજુ ચાલશે.

(9:50 pm IST)