Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો આતંકી હુમલામાં શહીદોના પરિવારોને જવાનોને એક કરોડની સહાય કરશે

મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં બજેટ સત્રમાં સરકારની રણનીતિની ચર્ચા

અમદાવાદ :ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો મળી પુલવામા થયેલા આતંકી હુમલામાંશહિદ થયેલા જવાનોના પરિવારને એક કરોડની સહાય કરશે.

   મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ આ જાહેરાત ગાંધીનગર ખાતે મળેલી ધારાસભ્યોની બેઠકમાં કરી હતી.  વિધાનસભાનું સત્ર ચાલુ થનાર છે. જેમાં મંગળવારે બજેટ પણ રજુ કરવામાં આવનાર છે. તે પહેલા ભાજપના ધારાસભ્ય દળની બેઠક વિધાનસભામાં મળી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં બજેટ સત્રમાં સરકારની રણનિતી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

(11:46 pm IST)