Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

અમદાવાદથી ઉપડતી 13 ટ્રેનના સમયમાં ફેરફાર થયો: નવજીવન એક્સપ્રેસ 25 મિનિટ મોડી ઉપડશે

તેજસ ટ્રેનનું લોકાર્પણ થવાના કારણે અન્ય ટ્રેનો મોડી દોડશે

 

અમદાવાદ : અમદાવાદ રેલવે સ્ટેશન પરથી તેજસ ટ્રેનનું લોકાર્પણ થવાનું છે. તેને કારણે અન્ય ટ્રેનો મોડી દોડશે. અમદાવાદથી ઉપડતી અન્ય 13 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 જ્યારે 11 ટ્રેનો વચ્ચેના સ્ટેશનો પર માત્ર 5 થી 10 મિનિટ સુધી પરિવર્તિત સમય સાથે ચાલશે. અમદાવાદ-એમજીઆર ટ્રેન 10 મિનિટ મોડી ઉપડશે. નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી 25 મિનિટ મોડી ઉપડશે. પોરબંદર-મુંબઈ સેંટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 55 મિનિટ મોડી ઉપડશે. એક્સપ્રેસ ટ્રેનો અને 4 મેમુ ટ્રેનો ફક્ત વચ્ચેના સ્ટેશનો પર 5થી 10 મિનિટના પરિવર્તિત સમયે ચાલશે.

(11:06 pm IST)