Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાજપીપળા મોતીબાગ વિસ્તારમાં રહેતા યુવાને માનસિક તણાવમાં આવી પોતાન ઘરમાં ફાંસો ખાઈ લેતા મોત થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા મોતીબાગ માં રહેતા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા યુવાને પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ લેતા ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.

મળતી માહિતી અનુસાર તારીખ 15 ડિસેમ્બરે રાત્રે 9 થી 10 વાગ્યાના સમયમાં રાજપીપળા મોતીબાગ વિસ્તારમાં રહેતા અને નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા
કુલદિપભાઇ વિજયભાઇ વસાવા ઉ.વ.૨૦ નાઓ કોઇ કામ ધંધો કરતા ના હોય જેથી માનસીક તણાવમા આવી પોતાની જાતે પોતાના ઘરના પ્રથમ માળના દરવાજાના વેંન્ટીલેટર સાથે ઓંઢણીનો ગાળીયો બનાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

(11:36 pm IST)