Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સુરત: અચાનક ઘરેથી નીકળી ગયેલ મંદ બુદ્ધિના યુવાનને અજાણ્યા વાહને હડફેટે કમકમાટીભર્યું મોત નીપજ્યું

સુરત:હજીરા બે દિવસ પહેલા માતા-પિતા બીપી વીડીયા માણી રહ્યા હતા ત્યારે અચાનક ઘરેથી નીકળી ગયેલા તેમનો 28 વર્ષીય મનબુદ્ધિના પુત્રને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત નીપજ્યું હતું.

પોલીસ સુત્રો પાસેથી મળેલી મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ખડગોદાગામ ના વતની અને હાલમાં હજીરાના જૂના ગામમાં આવેલ આ મંદિર ફળિયામાં રહેતા 65 વર્ષીય રવજીભાઈ મોહનભાઈ પ્રજાપતિ ને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જો કે મોતને ભેટેલા યુવાનને જોઈ ને રવજીભાઈ હેબતાઈ ગયા હતા કારણ કે તે મોતને ભેટેલો યુવાન બીજું કોઈ નહિ પણ તેમનો લાડકવાયો મન બુદ્ધિ નો પુત્ર હતો આ અંગે હજીરા પોલીસને જાણ થતા ઘટનાસ્થળે આવી કાર્યવાહી કરી હતી પોલીસે કહ્યું કે અજાણ્યા વાહનચાલકે યુવાનને અડફેટે લેતા મોત નીપજ્યું હતું આ અંગે હજીરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:57 pm IST)