Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

આરોગ્યની ૩૩ સંસ્થાઓને NQAS પ્રમાણપત્ર અર્પણ

રાજ્યનું આરોગ્યતંત્ર રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત : ચાર જિલ્લા હોસ્પિટલ, ૨૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્રણ શહેરી કેન્દ્રોને પ્રતિષ્ઠિત પ્રમાણપત્રો એનાયત કરાયા

અમદાવાદ,તા.૧૫ : આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં દર્દીઓને ગુણવત્તાસભર અને નિયમિત સારવાર મળી રહે માટે રાજ્ય સરકારે સઘન પ્રયાસો હાથ ધર્યા છે જેની રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઇ છે. તાજેતરમાં રાજ્યની ૩૩ આરોગ્ય સંસ્થાઓને એનક્યુએએસની ગાઇડ લાઇન મુજબ પ્રમાણપત્ર એનાયત કરાયું છે. ડૉ. જયંતિ રવિએ ઉમેર્યુ કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સીધા માર્ગદર્શન હેઠળ નાગરિકોને ગુણવત્તાલક્ષી સારવાર પૂરી પાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ છે. જે ગુજરાત માટે ગૌરવરૂ છે. રાજ્યમાં અત્યાર સુધી ૨૮ આરોગ્ય સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાના માપદંડ સિદ્ધ કરવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવી છેડૉ.જયંતિ રવિએ ઉમેર્યુ કે, ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ એનએચએસઆરસી, નવી દિલ્હી દ્વારા નેશનલ એકસ્ટર્નલ એસેસર મારફતે દર્દીઓને ગુણવત્તાસભર અને નિયમિત સારવાર મળી રહે તે માટે ગુણવત્તાસભર સેવાઓની જોગવાઇ, દર્દીઓના હકકો, ઇન્ફાસ્ટ્રકચરની જોગવાઇ, સહાયક સેવાઓ, ચિકિત્સકીય કાળજી, ચેપ અંગે નિયંત્રણ, ગુણવત્તાયુક્ત વ્યવસ્થાપન અને આઉટકમની ચકાસણી કરી ગુણાંક આપવામાં આવે છેરાજયમાં ૩૩ આરોગ્ય સંસ્થાઓને એન. કયુ. . એસ.ની ગાઇડ લાઇન મુજબ રાષ્ટ્રીય કક્ષાએથી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેમાં રાજ્યની જિલ્લા હોસ્પિટલો, ર૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સામેલ છે. કુલ ૩૩ આરોગ્ય સંસ્થાઓ પૈકી આરોગ્ય સંસ્થાઓએ ૯૦ ટકા ઉપર ગુણાંક પ્રાપ્ત કર્યા છે. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-નોબલનગર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૯૭. ટકા ગુણાંક પ્રાપ્ત કર્યા છે. ગુજરાત રાજય દેશમાં નેશનલ કવોલીટી એસ્યોરન્સ પ્રોગ્રામ હેઠળ પ્રમાણપત્ર મેળવવામાં સાતમો ક્રમ ધરાવે છે. તેમણે ઉમેર્યુ કે તા.૧૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ ગુજરાત રાજ્યની કુલ ૧૭ આરોગ્ય સંસ્થાઓને એક સાથે ભારત સરકાર દ્વારા એન.કયુ..એસ. પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ડૉ. રવિએ ઉમેર્યુ કે, ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ દર્દીઓને ગુણવત્તાસભર અને નિયમિત સારવાર મળી રહે તે માટે લેબર રૂ અને મેટરનીટી ઓપરેશન થીએટરમાં લક્ષ્યના ચેકલીસ્ટ મુજબ એસેસમેન્ટ તથા સેવાઓની ગુણવત્તા સુધારવા માટેનાં પગલા લેવામાં આવે છે.

(9:39 pm IST)