Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

કરોડોના કૌભાંડમાં સાબરમતી જેલમાં બંધ ભટનાગર બંધુ પાસેથી મળી આવ્યો મોબાઈલ :મોટો ખળભળાટ

એફેડ્રીન ડ્રગ્સ કેસમાં આરોપી કિશોરસિંહ રાઠોડ પાસેથી પણ મોબાઈલ મળ્યો

અમદાવાદમાં સાબરમતી જેલમાં ફરીથી કેદીઓની બેરેકમાંથી મોબાઈલ મળ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં . 2654 કરોડ રૂપિયાના લોન કૌભાંડમાં સાબરમતી જેલમાં બંધ ભટનાગર બંધુ પાસેથી મોબાઈલ ફોન મળી આવતાં ચકચાર મચી છે. અમિત ભટનાગર અને સુમિત ભટનાગર પાસે કેવીરીતે મોબાઈલ ફોન પહોંચ્યા તેને લઈને સવાલો ઉઠ્યા છે. આ ઉપરાંત એફેડ્રીન ડ્રગ્સ કેસમાં આરોપી કિશોરસિંહ રાઠોડ પાસેથી પણ મોબાઈલ ફોન મળી આવ્યો.

 અત્રે ઉલ્લેખનીય છે કે  આરોપી કિશોરસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોના પુત્ર છે. બે મોબાઈલ ફોન ચાર્જર અને સિમકાર્ડ મળી આવ્યા. ત્યારે જેલની સુરક્ષાને લઈને કેટલાક કર્મચારીઓ સામે શંકા ઉઠી છે. રાણીપ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(9:57 am IST)