Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ધનસુરામાં ઝરમરિયા વરસાદમાં એક જ રાતમાં તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવ્યા: લોકોમાં ભયનો માહોલ: પોલીસની કામગીરી નિષ્ક્રિય જતા પ્રજામાં રોષ વ્યાપ્યો

ધનસુરા: શહેરમાં શુક્રવારની રાત્રે ઝરમરીયા વરસાદમાં તસ્કરોએ શ્રીજી સોસાયટી,ઘનશ્યામ નગર સોસાયટી સહિત 3 મકાનના તાળાં તોડયા હતા.જોકે મકાન માલીક જાગી જતાં ભારે બુમરાણ થતાં તસ્કરો નાસી ગયા હતા.આમ મધ્યરાત્રીએ સોસાયટી વિસ્તારમાં ચોરો ત્રાટકતા ભયનો માહોલ છવાયો હતો.પોલીસ ની કામગીરી નિષ્ક્રીય રહેતાં ધનસુરા ની પ્રજામાં રોષ વ્યાપ્યો હતો.

 ધનસુરા-વડાગામ રોડ પર આવેલી શ્રીજી સોસાયટીમાં રહેતા શિક્ષક શુક્રવાર રાત્રે મકાનના ઉપરના માળે નીંદર માણી રહયા હતા.ત્યારે રાત્રીના સુમારે તસ્કરોએ પથ્થરો એકઠા કરી ડીસમીસ અને એંગલનો ઉપયોગ કરી નીચેના બંને દરવાજાના તાળા તોડયા બાદ ઉપરના મકાનનું તાળુ તોડવા જતાં અવાજથી મકાન માલિક જાગી જતાં ભારે બુમરાણ થતાં તસ્કરો ભાગી ગયા હતા.

(6:08 pm IST)