Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

તલોદ તાલુકાના વક્તાપુરમાં મધ્યરાત્રીએ મકાનની દીવાલ ધરાશાયી થતા અફડાતફડી: જાનહાની તળતા લોકોએ રાહતના શ્વાસ લીધા

તલોદ: તાલુકાના વક્તાપુર ગામના માઢવાસમાં ગતરોજ મધ્યરાત્રી બાદ પરિવારના એક મોટા મકાનની આખી દિવાલ ધરાશયી થઈ જતાં અફડા-તફડી મચી જવા પામી હતી. જોકે, કોઈ જાનહાની થઈ નથી.

તલોદ તાલુકાના વક્તાપુર ગામના માઢવાસમાં આવેલા જગદીશભાઈ ગોવિંદભાઈ પટેલના મકાનની એક આખી દિવાલ રાત્રે 2 વાગ્યાના સુમારે એકાએક ધડાકા સાથે તૂટી પડી હતી. આ પટેલ પરિવારે નવું મકાન બનાવેલ હોવાથી તેઓ તેમાં રહેતા હતા. જેથી આ મકાનમાં ઘાસચારો વગેરે ભરી રાખ્યો હતો. જેથી મકાનમાં કોઈ નહીં હોવાથી, કોઈ જ જાનહાનિ થવા પામી નથી. પરિવારે તથા વક્તાપુર વાસીઓએ અહીં 'શૂળીનો ઘા સોંયથી ટળ્યા'નો અનુભવ કર્યો હતો.

(6:07 pm IST)