Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

વિશ્વ વલ્લભદાસ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે અમદાવાદ -ભાવનગરમાં દલિત સમાજ રસ્તા પર ઉતરશે

ભાવનગરમાં ભીમ સૈનિકો પણ સ્વામી સામે ફરિયાદ દાખલ કરાવવા માટે કલેકટરને આવેદનપત્ર આપશે

ભાવનગર : સાધુ વિશ્વ વલ્લભદાસની ટિપ્પણી મામલે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં નહિ આવતા સોમવારે અમદાવાદ-ભાવનગરમાં દલિત સમાજ રસ્તા પર ઉતરશે. અમદાવાદમાં અનુસુચિત જાતી સમાજના લોકો અમદાવાદ કલેક્ટર કચેરીથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી સુધી જઇ સ્વામી સામે FIR નોંધવાની માંગ કરશે. બીજી તરફ ભાવનગરમાં ભીમ સૈનિકો પણ સ્વામી સામે ફરિયાદ દાખલ કરાવવા માટે ભાવનગર કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

ભાવનગરના સામાજિક કાર્યકર્તા એમ કે રાઠોડે જણાવ્યું કે સોમવારે ક્લેક્ટર ભાવનગરને આવેદનપત્ર આપવામાં આવશે.સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સ્વામી વલ્લભદાસ દ્વારા જે જાતિ સુચક શબ્દ બોલી લાગણી દુભાવી છે તે અનુસુચિત જાતિ સહન નહી કરે અને સાખી નહી લે, માટે આવા ઢોંગી વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબની ફરીયાદ થાય તે બાબતે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે સોમવારે સવારે ૧૧:૩૦ કલાકે કલેકટરને આવેદનપત્ર આપશે અને સ્વામી સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરશે.

(11:44 pm IST)