Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

સોમવારે ગાંઘીનગરમાં ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક :કોંગ્રેસની અવિશ્વાસ પ્રસ્તાવ મામલે થશે ચર્ચા

અમદાવાદ : આવતીકાલે સોમવારે ગાંઘીનગરમાં ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક મળી રહી છે. કોંગ્રેસે મંત્રીમંડળ સામે આપેલા અવિશ્વાસ પ્રસ્તાવ મામલે આ બેઠકમાં ચર્ચા કરાશે.   

    આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ કેવી રીતે આપવો તેની રણનીતિ ઘડવા માટે આ બેઠક બોલાવાઈ છે.

(9:58 pm IST)