Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગુજરાતની કર્ણાવતી યુનિવર્સીટીમાં આમંત્રિત ભાજપ સાંસદ સ્વામી સુબ્રમનિયમનું નિવેદન : વડાપ્રધાને હવે અમદાવાદનું નામ કર્ણાવતી કરી નાખવું જોઈએ

 ગાંધીનગર:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ સમક્ષ કરી હતી.જેની સ્વીકાર થયો નહોતો.પરંતુ હવે શ્રી મોદી ખુદ વડાપ્રધાન છે.તેથી તેમણે તાત્કાલિક ગુજરાતનું નામ કર્ણાવતી કરી નાખવું જોઈએ તેવો અનુરોધ ભાજપ સાંસદ સ્વામી સુબ્રમનિયમે કર્યો હતો.તેઓ તાજેતરમાં ગાંધીનગર નજીક આવેલી  કર્ણાવતી યુનિવર્સીટી આયોજિત યુથ પાર્લામેન્ટમાં સ્પીકર તરીકે હાજર રહ્યા હતા તે પ્રસંગે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

(11:32 am IST)