Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

આણંદ ચોકડી નજીક બોરસદની મહીં કેનાલમાંથી ડભાસીના યુવકની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર

બોરસદ:શહેરની આણંદ ચોકડી પાસે આવેલી સમર્થ સોસાયટીની સામેના ગોબરપુરા જવાના માર્ગ ઉપર માઈનોર મહી કેનાલની બાજુમાંથી ડભાસીના યુવાનની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે હાલમાં તો બોરસદ રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે. પીએમમાં મોતનું સાચુ કારણ બહાર આવે તેમ છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર આજે મહી કેનાલની બાજુમાં કોથળાથી ઢાંકેલી એક લાશ જોવા મળતાં જ બોરસદ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ટીમ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને તપાસ કરતાં એક બેગ મળી આવી હતી જેમાં તપાસ કરતાં ચડ્ડો અને એક શર્ટ મળી આવ્યું હતુ. 

(5:35 pm IST)