Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

જગદીશ ઠાકોર ફૂલ ફોર્મમાં : 'દિલ્હીના સુલતાનથી માંડીને છઠ્ઠીના ધાવણ સુધીની વાત કરી: ભાજપ પર જોરદાર પ્રહાર

જગદીશ ઠાકોરે કહ્યું કે કે આ ચૂંટણી લોકશાહીની નથી, ડરાવવાની છે, ધમકાવવાની છે, બિવડાવાની છે. પરંતુ અમારી પાર્ટીમાં એવું નથી.પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોરના રાજકારણમાં એક પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નથી અને સામેના પ્રમુખ 108 ગુના લઈને બેઠા છે.

અમદાવાદ : ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ચૂંટણી થવાની છે, જેના માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ચૂંટણી મેદાનમાં જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ એકબીજા પર પલટવાર કરીને નિવેદનબાજી કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરમાં કોંગ્રેસની સભામાં ભાજપ પર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આકરા પ્રહારો કરીને ખળભળાટ મચાવી દીધો છે. 

   જગદીશ ઠાકોરે ચૂંટણીના ફોર્મમાં આવી જઈને કોઈને બક્ષ્યાં નહોતા. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી લોકશાહીની નથી, ડરાવવાની છે, ધમકાવવાની છે, બિવડાવાની છે. પરંતુ અમારી પાર્ટીમાં એવું નથી. તમારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોરના રાજકારણમાં એક પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નથી અને સામેના પ્રમુખ 108 ગુના લઈને બેઠા છે. પીએમ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના જગદીશ ઠાકોરે કહ્યું હતું કે આ દિલ્લીમાં જે સુલતાન બેઠા છે એમનો ડોળો આદિવાસીની જમીન ઉપર છે. આ દેશના મૂળ માલિકોને આ દેશના બાપ જે છે એ આદિવાસીઓને આ દેશમાં ગુલામ બનાવવાના છે એની આ ચૂંટણી છે.

    તેમણે જણાવ્યું હતું કે, આ અમારા વર્કર બેઠા છે. આ છોટાઉદેપુર નહી પુરા હિંદુસ્તાનના ગુંડાઓને લઈ આવો અમે ડરીશું નહીં. પરંતુ આપણે હવે આ દેશને ગુલામ થતો બંધ કરવા માટે આ ચૂંટણી લડવાની છે. એ દિલ્લીના સુલતાનને કહો તમે દિલ્લીમાં કોંગ્રેસના બેંકના ખાતા બંધ કર્યા અને તમારી માએ સવાશેર શુઠ ખાધી હોય તો આના ખાતા બંધ કરીને જો છઠીનું ધાવણ સાતમીએ ના બતાડી દઈએ તો અમારી જણવાવાળી ફટકે છે

     જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ તમારે જેમ આવવું હોય એમ આવજે...તમે જેવી અદામાં ચૂંટણી લડવા માગતો હોય એવી અદામાં અમે ચૂંટણી લડવા તૈયાર છીએ. તારી એક આંખ ટેડી તો અમારી 2 આંખ ટેડી છે. આ ચૂંટણી આખા દેશમાં તમે લખી રાખો... પેલા બુમો પાડે છે...400 પાર..5 લાખ...તો પછી અહીં મુખ્યમંત્રીના બંગલે એ આખીરાત કેમ જાગે છે? શું બોલીએ... રાજકોટમાં આજે ફોર્મ ભરે છે એ કહે છે કે અંગ્રેજોના જમાનામાં રાજા મહારાજાઓએ અંગ્રેજો જોડે રોટી બેટીનો વ્યવહાર કર્યો, શું રાજા માત્ર ક્ષત્રિય સમાજ જ હતા? પટેલો હતા, આદિવાસીઓ હતા તમામ કોમના હતા

   
(8:09 pm IST)